બે અપસેટ પછી વર્લ્ડ કપમાં ભારતે બાંગ્લાદેશ થી સાવચેત રહેવું પડશે ,2007ની વર્લ્ડ કપ મેચનું પુનરાવર્તન ન થાય

By: nationgujarat
18 Oct, 2023

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં ધમાકેદાર શરૂઆત કરી છે. ટીમે તેની બે મોટી મેચ જીતી છે. પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી પાકિસ્તાનને હરાવ્યું. આ દરમિયાન અફઘાનિસ્તાન સામે પણ વિજય થયો હતો. પરંતુ હવે ભારત સામે બાંગ્લાદેશનો પડકાર છે. બાંગ્લાદેશે અગાઉ ભારત સામે અપસેટ સર્જયો છે. 2007નો વર્લ્ડ કપ કોણ ભૂલી શકે? ભારત પ્રથમ મેચમાં બાંગ્લાદેશ સામે હારી ગયું હતું. અન્ય ઘણા પ્રસંગોએ ટીમે ભારતને મુશ્કેલીમાં મૂક્યું છે. ઉતાર-ચઢાવના આ વર્લ્ડ કપમાં ભારત માટે બાંગ્લાદેશનો પડકાર આસાન નહીં હોવાના 5 કારણો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

બાંગ્લાદેશની ટીમમાં ઘણા સારા  ખેલાડીઓ છે. મેહદી હસન મિરાજ ટોપ ઓર્ડરમાં બેટિંગ કરી શકે છે અને 10 ઓવર બોલિંગ કરી શકે છે. શાકિબમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં અજાયબી કરવાની ક્ષમતા પણ છે. મહમુદુલ્લાહ અને મહેદી હસન પણ કોઈથી ઓછા નથી.

બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાને હંમેશા ભારત સામે શાનદાર બોલિંગ કરી છે. તેની પ્રથમ બે વનડેમાં તેણે ભારત સામે 11 વિકેટ ઝડપી હતી. 2019 વર્લ્ડ કપ મેચમાં પણ તેણે 5 ભારતીય બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેમની સામે રન બનાવવા ભારતીય ટીમ માટે આસાન નહીં હોય.

બાંગ્લાદેશની સ્પિન બોલિંગમાં વિવિધતા છે. તેમની પાસે  Left અને Right સ્પિનરો છે. આમાં પહેલું નામ કેપ્ટન શાકિબ અલ હસનનું છે. ભારતીય ટીમ પણ સ્પિન બોલરો સામે સંઘર્ષ કરતી જોવા મળી રહી છે.

બાંગ્લાદેશે ભારત સામે છેલ્લી વનડે શ્રેણી જીતી હતી. ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતના મહાન બેટ્સમેન હતા. આ પછી પણ બાંગ્લાદેશે ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી.

એશિયા કપ 2023માં ભારતીય ટીમે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં શ્રીલંકાને 50 રન સુધી રોકીને ટીમ ચેમ્પિયન બની હતી. આ પહેલા પાકિસ્તાનને પણ હાર મળી હતી. પરંતુ ભારત બાંગ્લાદેશ સામે હારી ગયું હતું. કેપ્ટન રોહિત શર્મા ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.


Related Posts

Load more